Explainer: સોલાર રેડિયેશનના કારણે 6000 વિમાન કેમ થંભી ગયા! જાણો ઈનસાઈડ સ્ટોરી

By: nationgujarat
29 Nov, 2025

Airbus warns A320s vulnerable to solar radiation : એરબસે સુરક્ષા કારણોસર આપેલા ઍલર્ટ બાદ ભારતમાં 400 વિમાનો પ્રભાવિત થયા છે. સોલાર રેડિયેશનના કારણે દુનિયાના કુલ 6 હજાર વિમાનોને અસર થઈ છે. રેડિયેશનના કારને ફ્લાઈટ કંટ્રોલ ડેટા પ્રભાવિત થવાની આશંકા બાદ ભારતના DGCAએ તમામ પ્રભાવિત વિમાનોમાં ELAC (Elevator and Aileron Computer) એટલે કે એલેવેટર એલેરોન કોમ્પ્યુટર બદલવા આદેશ આપ્યા છે.

સોલાર રેડિયેશન એટકે શું? 

સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતાં કણો જેવા ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે અને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોના મિશ્રણને સોલાર રેડિયેશન કહેવાય છે. આ એક વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે જે વિમાનના ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માટે પણ ખતરો બની શેક છે. વિમાન જ્યારે ઊંચાઈએ ઉડતું હોય ત્યારે તે સોલાર રેડિયેશનની ઝપેટમાં આવી શકે છે. આ ખતરાને જોતાં જ એરબઝે વિમાનોને લઈને 28 નવેમ્બર, 2025એ ઍલર્ટ જાહેર કર્યું હતું

સરળ શબ્દોમાં સમજો સમસ્યા શું થઈ? 

એરબસે જણાવ્યું છે કે સોલાર રેડિયેશનના કારણે ફ્લાઈટ કંટ્રોલ સાથે જોડાયેલી કોમ્પ્યુટર મેમોરીમાં ‘બિટ ફ્લિપ’ થઈ શકે છે.

ફ્લાઈટના કોમ્પ્યુટરમાં તમામ ડેટા બાયનરી ફોર્મેટમાં સંગ્રહ થાય છે. કોમ્પ્યુટ 0 અને 1ના રૂપમાં જ ભાષા એક્સેસ અને પ્રોસેસ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો કોમ્પ્યુટર અને સોફ્ટવેરને 0 અને 1ની જ ભાષા સમજાય છે. પછી આ ડેટા પાયલટ થવા ઓટોપાયલટ કમાન્ડ એલિવેટર અને એલેરોન જેવા ફ્લાઈટ કંટ્રોલ લેયર સુધી પહોંચાડે છે. એવામાં ‘બિટ ફ્લિપ’નો અર્થ છે કે ડેટા 0થી 1 અથવા 1થી 0માં અચાનક બદલાઈ જાય. જો આવું થાય તો ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ ખોટા કમાન્ડ આપી શકે છે.

અગાઉ પણ થઈ ચૂકી છે દુર્ઘટના 

નોંધનીય છે કે આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. આ વર્ષે જ 30મી ઓક્ટોબરે જેટબ્લૂ એરવેઝનું વિમાન અચાનક જ પિચ-ડાઉન થઈ આગયું હતું. આ ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પછી તપાસમાં જાણવા મળ્યું કે સોલાર રેડિયેશનના કારણે ડેટા ખરાબ થઈ જવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.

એરબઝે જણાવ્યું છે કે દુનિયાભરમાં 6 હજાર A320 સીરિઝના વિમાન છે. તેમાં સંવેદનશીલ ELAC (Elevator and Aileron Computer) કોન્ફિગરેશન છે, જે સોલાર રેડિયેશનથી પ્રભાવિત થઈ શકે છે. કંપનીએ આ તમામ વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવા કહ્યું છે.


Related Posts

Load more